संदेश

આતિથ્યની ભાવના

चित्र
પૌરાણિક તામિલનાડુમાં એક ખ્યાતનામ અને લોકપ્રિય મહિલા સંત થઈ ગયા. જેમનું નામ હતું અવ્નાઇયર. આજે આ સંત મહિલાની થોડી વાત કરવી છે. તેમના માટે કહેવાય છે કે ભરયુવાનીમાં તેમના સંસારીક જીવનનો ત્યાગ કરી, એક વૃદ્ધ મહિલા જેના વાળ સફેદ થઈ ગયા છે તેવો દેખાવ ધારણ કરી લીધો હતો. આ જ વેશે તેઓ જુદા જુદા સ્થળે મુસાફરની જેમ જતાં. જેમાં ગરીબ અને તવંગર, શહેરો અને ગામડાં, વેપારીઓ અને ખેડૂતો, રાજા અને રંક સૌને મળતાં. તે ધનવાનોને તથા શક્તિશાળીઓને સમજાવતાં કે તેઓ તેમના ભાઈ સમાન લોકોને જેમને મદદની જરૂર છે તેમને મદદ કરે. તેઓ લોકોને ઉપદેશ આપી સત્યને માર્ગે ચાલવા અને ભલાઈ કરવા સમજાવતાં. તેઓ જ્યાં જ્યાં જતાં ત્યાં ત્યાં તેઓનું ઉમળકાભેર સ્વાગત થતું. લોકો તેમના પ્રત્યે પ્રેમ અને આદર દાખવતા. તેઓ રાજાના મહેલમાં કે ગરીબની ઝૂંપડીમાં સદાય આદરપાત્ર મહેમાન ગણાતાં. આ અમાપ પ્રેમનો બદલો અવ્વાઇયરે અમર ગીતો અને પદો લખીને વાળ્યો હતો; કારણકે તેઓ અદ્ભુત કવિયત્રી હતાં. તેમનાં પદો આજેય તામિલ ભાષા જાણનારાઓ ગાયા કરે છે. તેમનાં પદોનું અધ્યયન થાય છે અને મંદિરોમાં તે ગવાય પણ છે. તેઓના જીવનનો એક કિસ્સો ખૂબ જ યાદગાર છે. એક સમયે અંધારી રાત્રે

ઊછીની જિંદગી

चित्र
  સ્વામી વિવેકાનંદને એક વાર પૂછવામાં આવ્યું હતું કે તમે કયા ધર્મમાં માનો છો ? તમારો ધર્મ કર્યો ?' તેમનો જવાબ નોંધપાત્ર હતો. તેમણે કહ્યું : ‘એકતા અને પ્રેમ, સેવા અને ત્યાગથી ઊંચો કોઈ ધર્મ હોય તો તે હું જાણતો નથી.' તેમના માટે જીવન એટલે સેવા કરવી, જીવન એટલે પ્રેમ આપવો, જીવન એટલે બીજાઓના બોજાઓને ઊંચકી લઈ તેમને હળવા કરવા. જીવનમાં આપણી પાસેનું સર્વસ્વ બીજાઓ સાથે વહેંચીને વાપરવું.  એક સાંજની વાત છે, સ્વામી વિવેકાનંદ એક ઝાડ નીચે એક ગરીબ માણસને પડેલો જોયો તેનાં કપડાં જીર્ણ અને ફાટેલાં હતાં. તેના પગ ઉપર કાદવ ચોટેલો હતો સ્વામી વિવેકાનંદ તો તરત જ ઊભા રહી ગયા. તેમણે તરત નજીકના તળાવથી પાણી મંગાવ્યું. જેવું પાણી આવ્યું કે તેમણે પોતાના હાથે તે માણસના પગ સાફ કર્યા અને પોતે પહેરેલા વસ્ત્ર તે માણસને આપ્યું જે તેણે પહેરી લીધા.  એ સમયે સ્વામી વિવેકાનંદએ જે શબ્દો કહ્યા તે કાળજે કોતરાઈ ગયા. તેમણે કહ્યું : “આ વસ્ત્રો અને બીજું જે કાંઈ મારી પાસે છે તે પ્રકૃતિએ ઉધાર પેટે મને આપેલ છે. મારા કરતાં તે વ્યક્તિને તેની વધારે જરૂર છે. તેને મારે તે આપી દેવી જોઈએ.’ પ્રકૃતિએ આપણને દરેક વસ્તુ ઉધાર પેટે આપી છે. જેવુ

પરમેશ્વરની રીત

चित्र
એક બોર્ડિંગ સ્કૂલમાં બે કિશોરોને નાનાં નાનાં કામો સોંપવામાં આવ્યાં હતાં જે થોડી શારીરિક મહેનતના હતા; જેમકે જમ્યા બાદ બધાં ટેબલો સાફ કરી દેવાના, ફરસ ઉપર પોતું મારી દેવાનું વગેરે વગેરે. બેમાંથી એક કિશોર આ જાતના કામથી ઘણો નાખુશ હતો. તે ઝડપથી, બેદરકારીપૂર્વક કામ પતાવી રમવા ભાગી જતો. જ્યારે બીજો કિશોર આ જોઈને, ફક્ત પોતાનું કામ સંતોષજનક રીતે કરતો એવું નહીં પણ પહેલાં કિશોરના કામને પણ સારી રીતે પૂરું કરી દેતો. આ બંનેના કામ પર ધ્યાન રાખતા શિક્ષકની નજરમાં તરત આ વાત આવી અને તેથી તેમણે પેલા ખંતીલા કિશોરને પૂછ્યું કે તે શા માટે પેલા આળસુ કિશોરનું કામ પૂરું કરી દે છે ? કિશોરનો જવાબ નોંધવા જેવો હતો : ‘પ્રભુ આપણને કહેતા આવ્યા છે કે તમારા સૌમાં જે મહાન થવા સર્જાયેલ છે તેને બધાનો સેવક બનવા દેજો. પ્રભુની આ વાણી જેને આપણે પરમેશ્વરની રીત કહીએ છીએ તે જ મને આ રીતે કામ કરવાની પ્રેરણા આપે છે.’

શરણાગતિની પ્રાર્થના

चित्र
એક રાણીની વાત છે જે તેની દયા અને ભક્તિ માટે ખૂબ જાણીતી હતી. એક વખતની વાત છે. તેની નાનકડી કુંવરી બીમાર પડી એટલે રાજ્યના ઉત્તમોત્તમ વૈદ્યો તેની સારવારમાં હાજર થઈ ગયા. પરંતુ દવાદારૂ કર્યા છતાંય કુંવરીની હાલત દિનબદિન બગડતી ચાલી. રાણીને પરમકૃપાળુ પરમાત્મામાં અચલ શ્રદ્ધા હતી. તેનાથી પોતાની દીકરીની માંદગી જોઈ જતી ન હતી. તે પરમાત્માને રડતાં રડતાં વિનવણી કરતી કે : ‘હૈ પ્રભો ! મારી દીકરીને સાજી કરી દો. તેની મદદે આવો. પરંતુ કુંવરી સાજી ન થઈ અને તેની હાલત વિશેષ બગડી ગઈ. વૈદ્યોએ હાથ ઊંચા કરી દીધા કે હવે તેઓ કશું કરી શકે તેમ નથી. એ સમયે એક સાધુ મહાત્મા મહેલની મુલાકાતે આવ્યા હતા. તેમણે વાત જાણી અને રાણીને સૂચન કર્યું કે આપે બધી જ પ્રાર્થનાઓમાં શ્રેષ્ઠ એવી શરણાગતિની પ્રાર્થના અજમાવવા જેવી છે.' રાણીએ જાણવા માગ્યું કે આ શરણાગતિની પ્રાર્થના શું છે ? મહાત્માએ સમજાવ્યું કે આપ પરમકૃપાળુ પરમાત્માની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લો. આપના બાળકને તેને હવાલે સોંપી દો. તે પછી એ બાળકની સંપૂર્ણ જવાબદારી ‘એની” રહેશે. પછી આપે એમની' પાસે કશું જ માંગવાનું રહેશે નહીં. રાણીનાં મન અને હૃદયમાં આ વાત ઠસી ગઈ. તે જ પળે તેણ

અને શ્રીકૃષ્ણ પધાર્યા

चित्र
આ એક એવી મહિલાની વાત છે જે કૃષ્ણ ભગવાનની પરમ ભક્ત હતી. તેનો આખો દિવસ કૃષ્ણભક્તિમાં પસાર થતો હતો. તે પ્રાર્થના, પૂજા અને કૃષ્ણના નામની માળા જપવામાં સમય પસાર કરતી. તેની હૃદયની મહેચ્છા એ હતી કે શ્રીકૃષ્ણ પ્રભુ સદેહે તેના ઘરે પધારે અને તે તેઓને ભાવપૂર્વક આવકારી તેમનાં ચરણોની પૂજા કરે. એક રાતની વાત છે. તેના સ્વપ્નમાં ભગવાન શ્રીકૃષ્ણ આવ્યા અને બોલ્યા : 'તારી સાધનાના ફળ રૂપે હું કાલે તારા ઘરે પધારીશ. મારી રાહ જોજે અને મને ઓળખી જજે.' આ મહિલાને તો આનંદનો પાર ન રહ્યો. તે તો વહેલી સવારે ઊઠી ગઈ. ઘરના ખૂણે ખૂણાને ચોક્ખો કર્યો. પોતાના હાથે ભાવતા ભોજન બનાવ્યા. જ્યારે તેણે જોયું કે બધું જ કામ સુંદર રીતે પતી ગયું છે ત્યારે તે ઘરના દરવાજે જઈ ઉંબર ઉપર બેસી ગઈ અને શ્રીકૃષ્ણ ભગવાનની રાહ જોવા માંડી.  સવારના પહોરમાં કેડેથી વળી ગયેલો એક વૃદ્ધ તેના આંગણે આવ્યો અને બોલ્યો : ‘બેન, તું તો દયાની દેવી જેવી લાગે છે. શું તું મને નજીકની હૉસ્પિટલ સુધી મૂકી જઈશ. મને સારવારની જરૂર છે એટલે ત્યાં ડૉક્ટરો મને મદદ કરશે.' આ મહિલા બોલી : ‘જુઓ બાબા, તમને હું જરૂર મદદ કરી શકી હોત પણ આજે નહિ. આજે પ્રભુએ મારે ઘેર આવવાન