આતિથ્યની ભાવના
![चित्र](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEikbEDmxeeha7k6KTuoAoBZl52-lakZicNFGfz-p8WvnHx81lEOtV1aB06-_K7v1vreglyEavtQaeUb_-5M99kFkk6Da45hZmBd44vceBqulUyvBxLTNGNqq1M9Z5-nrSNqDjgOzwxtyR3iFs2qMCpHTq1MD3wiuSeHOYSM73VJSIxnKSiMYe7lf8dCQOg/w400-h286/PhotoGrid_Site_1688570962874.jpg)
પૌરાણિક તામિલનાડુમાં એક ખ્યાતનામ અને લોકપ્રિય મહિલા સંત થઈ ગયા. જેમનું નામ હતું અવ્નાઇયર. આજે આ સંત મહિલાની થોડી વાત કરવી છે. તેમના માટે કહેવાય છે કે ભરયુવાનીમાં તેમના સંસારીક જીવનનો ત્યાગ કરી, એક વૃદ્ધ મહિલા જેના વાળ સફેદ થઈ ગયા છે તેવો દેખાવ ધારણ કરી લીધો હતો. આ જ વેશે તેઓ જુદા જુદા સ્થળે મુસાફરની જેમ જતાં. જેમાં ગરીબ અને તવંગર, શહેરો અને ગામડાં, વેપારીઓ અને ખેડૂતો, રાજા અને રંક સૌને મળતાં. તે ધનવાનોને તથા શક્તિશાળીઓને સમજાવતાં કે તેઓ તેમના ભાઈ સમાન લોકોને જેમને મદદની જરૂર છે તેમને મદદ કરે. તેઓ લોકોને ઉપદેશ આપી સત્યને માર્ગે ચાલવા અને ભલાઈ કરવા સમજાવતાં. તેઓ જ્યાં જ્યાં જતાં ત્યાં ત્યાં તેઓનું ઉમળકાભેર સ્વાગત થતું. લોકો તેમના પ્રત્યે પ્રેમ અને આદર દાખવતા. તેઓ રાજાના મહેલમાં કે ગરીબની ઝૂંપડીમાં સદાય આદરપાત્ર મહેમાન ગણાતાં. આ અમાપ પ્રેમનો બદલો અવ્વાઇયરે અમર ગીતો અને પદો લખીને વાળ્યો હતો; કારણકે તેઓ અદ્ભુત કવિયત્રી હતાં. તેમનાં પદો આજેય તામિલ ભાષા જાણનારાઓ ગાયા કરે છે. તેમનાં પદોનું અધ્યયન થાય છે અને મંદિરોમાં તે ગવાય પણ છે. તેઓના જીવનનો એક કિસ્સો ખૂબ જ યાદગાર છે. એક સમયે અંધારી રાત્રે